ભારતીય જ્ઞાન પ્રણાલી ખ્યાલ અને ઉપયોગીતાભારતીય જ્ઞાન પ્રણાલીના મુખ્ય ખ્યાલો જોઈએ તો 1. જ્ઞાનનો સર્વગ્રાહી દૃષ્ટિ કોણ છે . 2. વ્યવહારીક જ્ઞાન અને સામાજિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. 3. મલ્ટી ડિસ્પલનરી અભિગમ રહેલો જોવા મળે છે . 4. મૌખિક પરંપરા અને જ્ઞાનની જાળવણી રહેલી છે. ત્યારબાદ ભારતીય જ્ઞાન પ્રણાલીનો ઐતિહાસિક વિકાસ જોઈએ તો સૌ પ્રથમ વૈદિક યુગ તે પછી શાસ્ત્રીય યુગ, વિજ્ઞાન અને ગણિત નો યુગ, મધ્યયુગનો સમયગાળો વસાહતી સમયગાળો જોવા મળે છે. ભારતીય જ્ઞાન પ્રણાલીના સમકાલીન કાર્યક્રમો જોઈએ તો 1. શિક્ષણ 2. ટકાઉ વિકાસ 3. હેલ્થ કેર અને વેલનેસ 4. વ્યાપાર અને નેતૃત્વ 5. માહિતી અને ટેકનોલોજી પ્રાપ્ત થાય છે . આ ઉપરાંત ભારતીય જ્ઞાન પ્રણાલીના ખ્યાલમાં ફિલસુફી, વિજ્ઞાન, કલા અને આધ્યાત્મિકતાની બાબતો પણ સ્પર્શેલી જોઈ શકાય છે. ભારતીય જ્ઞાન પ્રણાલીના મુખ્ય સિદ્ધાંતોમાં 1. ધર્મ 2. જીવનનો સર્વગ્રાહી દ્રષ્ટિ કોણ 3. પ્રમાણ 4. અનિકાંત વાદ, યોગ અને આત્મ અનુભૂતિની બાબતોનો સમાવેશ થયેલો જોઈ શકાય છે . આધુનિક સમયમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો ઉપયોગ 1. આયુર્વેદ અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય 2. યોગ અને માનસિક સુખાકારી 3. ગણિત અને કોમ્યુટેશનલ મોડલ 4. ટકાઉ વિકાસ અને પર્યાવરણ નૈતિકતા 5. નૈતિક વ્યવસાય અને નેતૃત્વ 6. આંતર શાખાકીય સંશોધન અને નવીનતા 7. સાંસ્કૃતિક પુર્નજીવન અને કલાત્મક અભિવ્યક્તિ 8. શિક્ષણ પ્રણાલી સુધારણા ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP), આ બધી બાબતોમાં સમાવિષ્ટ થયેલો જોઈ શકાય છે. |
